૧૯૧૮ માં ઈન્ફલ્યુએન્ઝા રોગચાળા પછી, કોવિડ -૧૯ એ હાલની સૌથી મોટી જાહેર આરોગ્ય કટોકટી તરીકે ઉભરી આવી છે, જેને ડબ્લ્યુએચઓ દ્વારા ૧૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો.

વાર્તાની શરૂઆત ડિસેમ્બર ૨૦૧૯ માં ચીનના વુહાન શહેરમાં થઈ હતી, જ્યારે ન્યુમોનિયાના કેસોનું એક ક્લસ્ટર નોઘાયું હતું, જેના માટે કોઈ જાણીતું કારણ મળ્યું નથી. તેમાંથી મોટાભાગના લોકો વુહાનના હ્યુઆનન સી-ફુડ માર્કેટ સાથે જોડાયેલા જોવા મળ્યા હતા

આ એક નવો વાયરસ, જેને હવે સાર્સ-કોવી-૨ તરીકે ઓળખવામાં આવે છે, આ તમામ કેસોમાં ન્યુમોનિયાનું કારણ હોવાનું માનવામાં આવ્યું છે, સંભવત. ચામાચીડીયાથી મનુષ્યમાં સ્થાનાંતરિત થાય છે. તે ઝડપથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સીમાઓને વટાવી ગયું છે,

સાર્સ- CoV-2  એક વ્યક્તિથી બીજામાં ટીપાં દ્વારા અને ભાગ્યે જ એરોસોલ્સ દ્વારા ફેલાય છે; જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિને ખાંસી આવે, છીંક આવે અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે નજીકથી સંપર્કમાં આવે ત્યારે આ વાયરસ ફેલાય છે. આ  વાયરસ દ્વારા દૂષિત સપાટીઓ પણ સંક્રમણનો સંભવિત સ્ત્રોત હોઈ શકે છે, કારણ કે આ વાયરસ દિવસો સુધી ર્નિજીવ સપાટી પર ટકી રહેવાનું માનવામાં આવે છે. કોવિડ -૧૯ ના લક્ષણો ફ્લુ-ગળા, ખાંસી, તાવ, પેટમાં દુખાવો, ઝાડા, ઉલ્ટી, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા છે. મોટાભાગના ચેપ હળવા અને સ્વ-મર્યાદિત હોય છે. આશરે ૧૫% દર્દીઓમાં હોસ્પિટલાઇઝેશન અને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી શકે છે, અને લગભગ ૫% દર્દીઓને આઇસીયુ કેરની જરૂર પડી શકે છે. વૃદ્ધાવસ્થાના દર્દીઓ, અને હૃદયરોગ, હાઈ બી.પી. અને ડાયાબિટીસવાળા લોકોમાં આ બીમારી થવાનું જોખમ વધારે છે જે મૃત્યુ તરફ દોરી શકે છે.જોકે ઘણી દવાઓ અને રસીઓ અત્યારે ટ્રાયલ હેઠળ છે, રેન્ડમાઇઝ્‌ડ ટ્રાયલ્સમાં કોઈ પણ દવા સારવાર માટે અસરકારક સાબિત થઈ નથી. સામાજિક અંતર (એકબીજાથી ૩-૬ ફુટનું અંતર જાળવી રાખવું) અને હાથની સ્વચ્છતા એ આજનાં શ્રેષ્ઠ રક્ષણાત્મક પગલાં છે.