હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ?

જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે  એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ પામે છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ?

હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે. દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ (ઘમની) દ્રારા પહોચે છે. ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો (છહખ્તૈહટ્ઠ) અનુભવાય છે. આ  દુખાવો ક્ષણીક હોય છે અને ર થી પ મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે. આ છહખ્તૈહટ્ઠ નો દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી. આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં,પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. ૨૦% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્‌ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે. તમને ખબર છે કે ૬૦% પુરૂષો અને પ૦% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહલા લક્ષણ રૂપે સીધોે હાર્ટ-એટેક જ આવે છે. અને અત્યંત ગંભીર બાબતતો એ છે કે હાર્ટ-એટેક દરમ્યાન રપ %  લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યું પામે છે, વિશ્વની કોઈપણ બિમારીમાં આટલો ઉંચો અને આટલો ઝડપી મૃત્યુ-દર નથી ! અને કરૂણતા તો એ છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં હૃદયરોગની બિમારીનું પ્રમાણ પ થી ૧૦ ગણું વઘારે છે અને ભારતને હૃદયરોગોની રાજધાની કહેવાય છે!

તમે કયારેય સાંભળ્યું છે કે હાથીને હાર્ટ-એટેક આવ્યો કે ઘોડાને લકવા( પક્ષઘાત) થયો ? અરે આજની તારીખે આફ્રીકા અને દક્ષિણ અમેરીકામાં જીવતા કેટલાક આદીવાસીઓ ને પણ હાર્ટ-એટેક કે લકવો થતો નથી! તો પછી આપણને શું કામ આવે છે? આનું કારણ એ છે કે સસ્તન પ્રાણીઓ અને પેલા આદીવાસીઓના લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૦૦% દ્બખ્ત % અને ન્ડ્ઢન્ (સૌથી ઘાતક કોલેસ્ટેરોલ)નું પ્રમાણ પ૦ દ્બખ્ત % થી પણ ઓછું છે. આપણા જન્મ વખતે આપણું પ્રમાણ પણ તેટલું જ હતું. આ બઘાની લોહીની ઘમનીઓમાં આટલા ઓછા કોલેસ્ટેરોલના કારણે ચરબી જામતી જ નથી અને આ કારણે હાર્ટ-એટેક કે લકવા(પક્ષઘાત) થતો જ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી તદ્‌ન બદલાઈ ગઈ છે. તનાવ-યુકત જીવન, ખોરાકમાં ઘી, તેલ, ફરસાણ,મીઠાઈનો વધુ પડતો ઉપયોગ, તમાકુનું સેવન, વઘુ પડતું વજન અને શરીરની મેદસ્વીતા, કસરતનો અભાવ, ડાયાબીટીસ-બીપી જેવા રોગનું વઘતું પ્રમાણ અને આધુનિક જીવનની દોડઘામ, હરીફાઈ, અને ટૂંકા ગાળામાં વઘુ પૈસા કમાઈ લેવાની આપણી વૃતીના કારણે આપણું કોેલેસ્ટેરોલ અને ન્ડ્ઢન્ નું પ્રમાણ લોહી ર ગણાથી પણ વઘી ગયું અને તેનું રકતવાહીનીઓમાં જામી જવાનુુંં શરૂ થયું જેના કારણે હૃદયરોગનો હુમલો કે લકવાના રોગનો જન્મ થયો. ભારતના વડા પ્રઘાન મનમોહનસિહ હોય કે અમેરીકાના ભુતપુર્વ રાષ્ટ્રપતિ બિલ કલીન્ટન હોય, આ રોગ કોઈને છોડતો નથી.

શું આપણે આનાથી બચી શકીએ?

ફકત જીવનશૈલી બદલવાથી જ આ જોખમ ૬૦% જેટલું ઓછું થઈ શકે છે. વઘુ પડતી જીવનની ભાગ-દોડ થી દૂર રહીએ અને તનાવથી દૂર રહેવા માટે યોગ- ધ્યાનની સહાય લઈએ, વઘુ પડતા ચરબી યુકત  તૈલી પદાર્થોનો ખોરાકમાં ઉપયોગ ઓછો કરીને લીલાં શાકભાજી, ફળ ફળાદીનો ઉપયોગ વઘારીએ, કોઈપણ પ્રકારના તમાકુંના સેવન થી દૂર રહીએ, પ્રમાણીત વજન જાળવી રાખીએ અને રોજ ૪પ થી ૬૦ મીનીટ નો સમય વ્યાયામ-કસરત માટે ફાળવીએ. જો તમારૂ લોહીનું દબાણ (બીપી) વઘું હોય તો જીવનશૈલી થી અને જરૂર પડેતો દવાઓથી તેના નોર્મલ લેવલમાં લઈ આવીએ. કોઈપણ ઉંમરે આપણું મ્ઁ ૧૩૦/૮૦ દ્બદ્બ.ૐખ્ત થી નીચે હોવું જોઈએ. જો લોહીમાં ચરબીનું પ્રમાણ વઘુ હોય તો તેને પણ ખોરાક-કસરત અને જરૂર પડેતો ડોકટરની સલાહ પ્રમાણેની દવાથી નીચે લાવી શકાય છે જી્‌છ્‌ૈંદ્ગ ગૃપની દવા આમાં અત્યંત ઉપયોગી સાબિત થયેલી છે અને તેનાથી હાર્ટ-એટેક,લકવા અને મૃત્યુનો દર ૩૦% થી વઘુ નીચે લાવી શકાય. ભારતીયોમાં ચરબીનું પ્રમાણ બાજુમાં દર્શાવેલ કોઠા પ્રમાણે રાખવું જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય તો નિયમીત રીતે ૩ મહીનાનું સરેરાશ લોહીની શર્કરાનું પ્રમાણ (ર્મ્ઙ્મર્ઙ્ઘ જેખ્તટ્ઠિ)- ય્ઙ્મઅષ્ઠટ્ઠીંઙ્ઘ ૐહ્વ-૬ થી ૭ ની વચ્ચે રાખવું જોઈએ. અને સૌથી મહત્વની વાતઃ- જો તમને વારસામાં હૃદયની બિમારી હોય તો તમને પણ આ રોગ આવવાની પુરેપુરી શકયતા છે. અને તેનાથી બચવા માટે ,ચાલો આજ થી જ પ્રયત્નો શરૂ કરીએ.