તમારૂ  હૃદય  એક  મહત્વનું  અંગ  છે  –  તેને આજીવન  સંભાળની  જરૂર  છે.હૃદય  રોગ  (કોરોનરી  આર્ટરી  ડિસીઝ)થી  બચવા માટે દરેક વ્યક્તિ કંઇક કરી શકે છે. જે લોકો પહેલેથી  હૃદય  રોગ  કે  હૃદય  સંબંધિત  સમસ્યા ધરાવે છે તેઓ પણ હૃદયને તંદુરસ્ત રાખવાના પગલાં  લઇ  શકે  છે  અને  વધુ  હૃદય  રોગનું  જોખમ ઘટાડી  શકે  છે.

ટીપ્સ   જો  તમે  તંદુરસ્ત  જીવન  જીવશો  તો  હૃદય રોગ  થવાનું  જોખમ  ઘટાડશો

હૃદય  રોગના  કારણો હૃદય  રોગ  સાથે  કેટલાક  જોખમી  પરિબળો જોડાયેલા  હોય  છે  જેનાથી  હૃદય  રોગ  થવાનું જોખમ વધી જાય છે. તેમાં  સુધારી શકાય તેવા પરિબળો  છે  :

  • ધુમ્રપાન  –  એક્ટીવ  અને  સેકન્ડ  હેલન્ડ
  • ધુમ્રપાન  (પેસિવ  સ્મોકિંગ)  બંને ઉંચુ  બ્લડ  કોલેસ્ટેરોલ  લેવલ
  • ઉંચુ  બ્લડ  પ્રેશર  અને  ડાયાબિટીસ શારિરીક 
  • નિષ્ક્રીયતા
  • વધુ  વજન
  • ડિપ્રેશન,  સામાજીક  એકલતા,  સામાજીક સહાયનો  અભાવ

કેટલાક  જાેખમી  પરિબળો  એવા  હોય  છે  જેને તમે  સુધારી  શકતા  નથી  જેમ  કે  વધતી  વય, પુરુષ  હોવુ  અને પરિવારમાં  હૃદય  રોગને  કારણે નાની  ઉંમરે  મૃત્યુનો  ઇતિહાસ.

ટીપ્સ   : હૃદય  રોગનું  જોખમ  ઘટાડવાનો  અથવા જાે તે હોય તે તેને વધુ ગંભીર થતો રોકવાનો સૌથી  શ્રેષ્ઠ  રસ્તો  છેઃ

  • સુધારી  શકાય  તેવા  જોખમી  પરિબળો ઓછા  કરો  કે  દૂર  કરો
  • ડોક્ટરના  દર્શાવ્યા  અનુસાર  દવાઓ  લો.

હૃદયને  સ્વસ્થ  રાખવાના  સકારાત્મક  પગલાં :  

(૧)  ધુમ્રપાન  ન  કરો

  • ધુમ્રપાન  હૃદય  રોગ  માટે  સૌથી  મોટુ જાેખમી  કારણ  છે  અને  શરીરના  અન્ય  હિસ્સાને રક્ત  પહોંચાડતી  ધમનીઓને અસર  કરે  છે.
  •  ધુમ્રપાન  છોડવા  અંગે શકય  વિકલ્પો  વિશે (જેમ  કે  નિકોટીનપેચ) તમારા  ડોક્ટર  સાથે  ચર્ચા  કરો.

(ર)  તંદુરસ્ત  ભોજન  લો  : 

  • ભોજનમાં શાકભાજી, ધાન્ય, નટ્‌સ  અને દાણાનો  દરરોજ  સમાવેશ કરો.  મીઠા,  ચરબીયુક્ત ભોજન અને   નાસ્તા લેવાનું  ટાળો.
  • મોટા  ભાગે  પાણી  જ  પીવો
  • સેચ્યુરેટેડ  અને ટ્રાન્સ  ફેટને  બદલે  તંદુરસ્ત  અનસેચ્યુરેટેડ  ફેટ  પસંદ  કરો  અને  હૃદય રોગનું જોખમ  ઓછું  કરો.  ફેટી  અને પ્રોસેસ્ડ  માંસ,  ફૂલ  ક્રીમ,  દુધની  બનાવટો, માખણ,  બે  પ્રકારના  વેજીટેબલ  તેલ (નાળિયેર  અને  પામ.) મોટા  ભાગના  ટેકઅવે  તળેલા  પદાર્થો  અને  વ્યાપારી  ઢબે બનાવવામાં  આવતા બિસ્કીટ,  કેક્સ અને પેસ્ટ્રી,  ઈત્યાદીનો  ઉપયોગ  ટાળવો જોઈએ..
  • રસોઇ  માટે  વનસ્પતિ  આધારીત  તેલ  જેવા કે  કેનોલા,  સુર્યમુખી,  સોયાબીન,  ઓલીવ ઓઇલ  કે સિંગતેલનો  ઉપયોગ  કરો.

(૩)  તંદુરસ્ત  વજન  જાળવી  રાખા

  • તંદુરસ્ત વજન જાળવવા  માટે તંદુરસ્ત ભોજન  અને  નિયમિત શારિરીક  પ્રવૃતિ  કરવી જરૂરી  છે

(૪)  તમારી  માનસિક અને સામાજીક  તંદુરસ્તી જાળવી  રાખો.

  • જે ડિપ્રેશનથી  પીડાતા હોય  અને જે સામાજીક  રીતે અતડા હોય  તેમને  કોરોનરી હાર્ટ  ડિસીઝ  થવાનું જાેખમ છે. જો તમને લાગે  કે  તમને  ડિપ્રેશન  છે  તો  તમારા  હેલ્થ પ્રોફેશનલ  સાથે  ચર્ચા  એ  સૌથી  પહેલું પગલું  છે.

યાદ  રાખોઃ  કોઈપણ  જીવનશૈલી  બદલાવની માફક,  નાના  સ્થિર  પગલાથી  શ્રેષ્ઠ  પરિણામો મેળવી શકાય  છે.  આ  જીવનશૈલી  બદલાવને જાળવી  રાખવા  પણ  એટલા  જ  જરૂરી  છે  કારણ કે  તમારા  હૃદયને  આજીવન  સંભાળની  જરૂર  છે.

મને  પહેલેથી  હૃદયરોગ  હોય  તો  શું  થશે.નિરાશ  થવાની  જરૂર  નથી તમે ઉપર આપેલ સકારાત્મક પગલાંનું પાલન કરો,  નિયમિત  ડોકટર  પાસે  તપાસ  કરાવો, આપેલી  દવાઓ  લો  અને  હૃદયની  સમસ્યાને આગળ  વધતી  રોકવા  માટે  તમારી  હેલ્થકેર  ટીમ સાથે  મળીને  કામ  કરો  તે  મહત્વપૂર્ણ  છે. 

ટીપ્સ : તંદુરસ્ત ભોજન  ઉપરાંત,  કેટલાંક લોકોને  બ્લડ  કોલેસ્ટેરોલ  નીચું  કરવા  માટે દવાઓની પણ  જરૂર  પડે  છે.

(પ)   શારિરીક  રીતે  સક્રિય  રહો

  • દરરોજ  કમ  સે  કમ  ૩૦  મીનીટ  કે  તેથી વધુ ની  મધ્યમ  તીવ્ર તાની  શારીરીક પ્રવૃતિઓ  (જેમ  કે  ઝડપથી  ચાલવું)  જાે દરરોજ  શકય  ન  હોય  તો  અઠવાડિયાના કેટલાક  દિવસોએ  કરવી  જરૂરી  છે.

(૬) તમારા  બ્લડ  પ્રેશર,  કોલેસ્ટેરોલ  અને ડાયાબિટીસને  કાબૂમાં  રાખો.

બ્લડ  પ્રેશર

  • ઉંચુ  બ્લડ  પ્રેશર  તમારા હૃદયને બોજાે આપી શકે છે  અને  કોરોનરી  હાર્ટ ડિસીઝની  પ્રક્રિયા  ઝડપી બનાવે  છે.

બ્લડ  કોલેસ્ટેરોલ

  • બ્લડ  કોલેસ્ટેરોલના  બે  પ્રકાર  છે. લો ડેન્સિટી લીપોપ્રોટીન (એલડીએ લ) ખરાબ કોલેસ્ટેરો લ અને કોરોનરી  હાર્ટ  ડિસીઝ થવાનું  જાેખમ  વધારે  છે.

હાઈ ડેન્સિટી લીપોપ્રોટીન (એચડીએલ) સારા કોલેસ્ટેરોલ તરીકે ઓળખાય છે કોરોનરી હાર્ટ ડિસીઝ સામે રક્ષણ આપે છે. કોલેસ્ટેરોલ સ્તર ધટાડવાનું  ધ્યેય  રાખો.

બ્લડ  કોલેસ્ટેરોલ  સ્તરોને કાબૂમાં  રાખવા  માટે  તમારે  તંદુરસ્ત  ભોજનશૈલી અપનાવવી  જરૂરી  છે  (સેચ્યુરેટેડ  ફેટ  ઓછી  હોય તેવો  ખોરાક).  તમારે  તમારા  કોલેસ્ટેરોલ  સ્તરોને કાબૂમાં  રાખવા  માટે  દવા  પણ  લેવી  પડી શકે  છે.